


मधुर-मधुर मेरे दीपक जल!
युग-युग प्रतिदिन प्रतिक्षण प्रतिपल
प्रियतम का पथ आलोकित कर!
सौरभ फैला विपुल धूप बन
मृदुल मोम-सा घुल रे, मृदु-तन!
दे प्रकाश का सिन्धु अपरिमित,
तेरे जीवन का अणु गल-गल
पुलक-पुलक मेरे दीपक जल!
तारे शीतल कोमल नूतन
माँग रहे तुझसे ज्वाला कण;
विश्व-शलभ सिर धुन कहता मैं
हाय, न जल पाया तुझमें मिल!
सिहर-सिहर मेरे दीपक जल!
जलते नभ में देख असंख्यक
स्नेह-हीन नित कितने दीपक
जलमय सागर का उर जलता;
विद्युत ले घिरता है बादल!
विहँस-विहँस मेरे दीपक जल!
द्रुम के अंग हरित कोमलतम
ज्वाला को करते हृदयंगम
वसुधा के जड़ अन्तर में भी
बन्दी है तापों की हलचल;
बिखर-बिखर मेरे दीपक जल!
मेरे निस्वासों से द्रुततर,
सुभग न तू बुझने का भय कर।
मैं अंचल की ओट किये हूँ!
अपनी मृदु पलकों से चंचल
सहज-सहज मेरे दीपक जल!
सीमा ही लघुता का बन्धन
है अनादि तू मत घड़ियाँ गिन
मैं दृग के अक्षय कोषों से-
तुझमें भरती हूँ आँसू-जल!
सहज-सहज मेरे दीपक जल!
तुम असीम तेरा प्रकाश चिर
खेलेंगे नव खेल निरन्तर,
तम के अणु-अणु में विद्युत-सा
अमिट चित्र अंकित करता चल,
सरल-सरल मेरे दीपक जल!
तू जल-जल जितना होता क्षय;
यह समीप आता छलनामय;
मधुर मिलन में मिट जाना तू
उसकी उज्जवल स्मित में घुल खिल!
मदिर-मदिर मेरे दीपक जल!
प्रियतम का पथ आलोकित कर! ::મહાદેવી વર્મા : :🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆 અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : ભાગ ૧ : : મહાદેવી વર્મા (૧૯૦૭ -૮૭) કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણ ની બાળપણથી સહેલી .૨૭ એપ્રિલ ‘૮૨ જ્ઞાનપીઠ પુરસ્કાર ની તારીખ Google Doodle થી ઉજવવા માં આવે છે . દીપક આત્મા ના અને પ્રિયતમ ઇશ્વર ના પ્રતિક છે. સતત પ્રજ્વલિત રહે તો પ્રભુ નું 🔥 આગમન દીસે . તેલ વિના પ્રકાશિત અસંખ્ય તારા ગણ સ્નેહ હિન છે : પ્રકાશ આપે નહીં : દૂર છે , અસક્ષમ છે અને આસ્થા ના દીપ ના પ્રાગટ્ય માં મહાદેવી સફળ હોવા છતાં , બંને વ્યાકુળ દીસે છે . દીપક ની સાથે જ્યોતિર્મય ન થયો તેથી પતંગા / એટલે કે મનુષ્ય , ક્ષોભ પામી ઘૂમે છે . આતમદીપ દરેક સ્થિતિમાં જુદી જુદી રીતે નિરંતર પ્રજ્વલિત રહે તો પ્રભુ ને પામે .સાગર ને પ્રભુ મય થવું છે ,અપાર જલ રાશિ / ભૌતિક સુખ છે , છોડી ન શકવાથી , સતત તપ્ત રહેશે , વ્યાકુળ રહેશે , પામર મનુષ્ય ની જેમ . વાદળ છાયું અસ્તિત્વ , જળ દેશે પણ વીજળી સાથે . સાગર ની પીડા / મુસીબતોથી ચિત્કાર કરતા માનવી માં દીસે છે . પ્રભુ મિલનની આશ અને પીડા , બંને છે . સફળ રહ્યા ?!?નિષ્ફળતા પણ મળે . આમ તો આ મીરાં ભક્તિ માં રહસ્ય વાદ છે . મહાદેવી પરમાત્મા ની આરાધ્યા છે , લીન છે . નિરાકાર બ્રહ્મ ને સંપૂર્ણ સમર્પિત છે . પરંતુ , પરમાત્મા નું / પ્રભુ ના સ્વરુપ નું વર્ણન કર્યું નથી . મીરાં કૃષ્ણની ની સેવિકા છે . કૃષ્ણ પ્રિયતમ છે . કૃષ્ણ નાં સૌંદર્ય નું , પ્રિય સ્વરુપ નું વર્ણન કરતાં પદ લખ્યા ને ગાયાં છે . દિવાની થઈ નાચી છે , ઝૂમી છે . મીરાં આજન્મ , કૃષ્ણ ભક્તિ ની સગુણ ઉપાસક રહી . મહાદેવી આરાધ્ય ની નિર્ગુણ ઉપાસક છે . કણ કણ પ્રજ્વલિત કરવામાં સ્વયં ને સમાપ્ત કરતાં રહી ને સવૅ જન્મારા માં / યુગે યુગે , પ્રતિ દિન , પ્રતિ ક્ષણ , પ્રતિ પલ , ઇષ્ટ પ્રાપ્તિ ના પ્રયત્નો માં લીન દીપક , મધુરતા નો / અપરિમિત પ્રકાશ નો સાગર રેલાવી , આસ્થાનું કેન્દ્ર અને પ્રતિક તરીકે ઊપસે છે . “મૃદુલ મોમ સા મૃદુ તન ” પ્રજ્વલિત થવા માં , સ્વયં ને મીટાવી , આકાર નિશેષ કરતાં કરતાં પ્રભુ પ્રિયતમ ને પામવા કૃત નિશ્ચિત છે . મધુરતા , અને કોમળતા થી , મનનાં દીપ / ઇશ્વર પ્રત્યેની આસ્થા /જ્ઞાન નો / પ્રકાશ નો રસ્તો ઉજાગર કરે જેની પરે , પ્રભુ , તમારી પાસે આવવા સન્મુખ ઉભા છે . ધૂપ ની સુગંધ સુકર્મ દ્વારા ફેલાય . અજ્ઞાન નું અંધારુ ઊંડું હોય તેને મીટાવી પ્રકાશ આપી શકાય તે માટે અતિઆવશ્યક તીવ્ર નિષ્ઠા થી , તન મન ને ન્યોછાવર કરવા માં માનવી નું ગૌરવ છે . સંસારનું કલ્યાણ દીપક ની જેમ નિરંતર પ્રગટી રહેવામાં છે . જેને , અન્ય સૌ અનુસરે અને પ્રભુ માં વિશ્વાસ ટકી રહે . નહિતર , થોડા કષ્ટો સહન કરતા માનવજાત તો પરેશાન થઈ , ઇશ્વર માં આસ્થા છોડી દે છે . આ ચિત્રાત્મક , પ્રતિકાત્મક , ભાવાત્મક ગીત : મધુર મધુર મેરે દિપક જલ : સાંભળો : આશા ના સ્વર માં , જયદેવની ધૂન : : : : : : : : : : : : : : : મધુર મધુર મેરે દીપક જલ . મહાદેવી વર્મા આસ્વાદ : : : : ભા (૨ ( ક ) : વૃક્ષો ને તરુવર દેખાવે લીલા , જીવંત – અરે સમગ્ર પણે કેવાં કોમળ , તો યે જ્વાળા થી પ્રજ્વલિત થતાં જોઇએ છીએ . સુકી ડાળે આગ લાગે , તેમ લીલી ડાળ પણ બળે . પૃથ્વી નું – ધરાતલ જડ લાગે , પણ ઊંડા ગરમ પેટાળ માં ભરી 🔥 આગ ના જ્વાળામુખી ને જ્વાળા ભભૂકતી હોય . જડ કે જીવંત , બંને જ્વલનશીલ છે . આમ વિખરાયા હોય તેમ દીપક પ્રજ્વલિત રહે , એવો આગ્રહ છે . ( ખ ) નિરાશ નથી , વ્યથિત નથી , અલબત્ત વ્યાકુળ છે , દિલગીરી હોય શકે છે , કારણ કે , હજુ તો , પ્રભુ ને મળવાનો રસ્તો પ્રકાશિત થઈ રહ્યો છે ,જેના કારણે , લંબાયમાન નિશ્વાસ પડતા , આસ્થા નાં દીપ રખે બુઝાઈ જાય , એવો અંદેશો રાખવા નો નથી . કારણ કે મૃદુ પાંપણ ની આડશ નો આંતરો ધારેલ છે . જડ અને ચેતન સહિત તમામ તત્વો ને , સર્વ વનસ્પતિ પ્રાણીઓને , મનુષ્યો ને , ધરતી માતા છાવરે છે . અને મધુરતા થી તરબતર , જિવનવાદ ને સમર્પિત , દ્રુમતર , પ્રભુ પ્રત્યે ની આસ્થા ના પ્રતિક અને સૌના પ્રતિનિધિ દીપક ને તો વળી સદભાગ્ય પ્રાપ્ત હોય , અઘીરતા રાખ્યા વગર , ડગમગ થયા વિના , સહજતાથી પ્રજ્વલિત રહે એવી શુભેચ્છા પાઠવી છે : : : : : : : : : : : : : : : : : : : : : મધુર મધુર મેરે દીપક જલ : મહાદેવી વર્મા : આસ્વાદ ભાગ ૩ : : : :
(ગ) સૃષ્ટિ નાં પ્રારંભ કાળ થી પરમાત્મ તત્વ છે . સનાતન કાળથી વ્યાપક આજ સુધી ની પળો ને સામાન્ય મનુષ્ય એ સમજવા ની જરૂર પડતી નથી . મનુષ્ય જીવન મર્યાદિત છે . માટે ધણી જાણકારી મેળવવા ની બાકી છે . જે ન જાણી શકાયું હોય તો લધુતા માનવાની જરૂર નથી . મર્યાદા ના સ્વીકાર દ્વારા તુચ્છતા ના ભાવ ને બાંધી શકાય છે . મનુષ્ય ના નેત્રો માં આંસુ નો ભંડાર છે . વ્યક્તિગત પીડા અને માનવીય વેદના આજીવન રહેશે . મનુષ્ય હજી સંપૂર્ણ વિજયી થયો નથી . ઘણીવાર , કુદરતી આપત્તિ , વિપદા , રોગ ની મહામારી , પયૉવરણ ની સમસ્યા , સામાજીક , આર્થિક ,રાષ્ટ્રીય સમસ્યા ના ઉકેલ લાવવા જતાં વિફળ રહે છે . જીવન દીપ માં આંસુ નો સંચય , આંસુ ભયૉ જીવન નો ભાવ છે જે આતમદીપ ના સંચારિત પ્રકાશ ને ઉજાગર કરશે .
(ઘ) વિદ્યુત ની ઉપલબ્ધિ અણુ વિજ્ઞાન ની સમજણથી વિકસતી રહી છે . પ્રત્યેક તત્વ ના અણુ અણુ મહીં વિદ્યુત શક્તિ નો અનહદ પ્રવાહ વહેતો હોય એવું વૈજ્ઞાનિક ચિત્ર અંકિત કરી શકો છો , જેમાં અસીમબળશાલી હોવા ની પ્રતિતી થાય અને ચિરકાળ સુધી ધરતી પર ના જીવન ના અસ્તિત્વ ના પ્રકાશ નો નિરંતર ફેલાવો થતો રહે , એવી પરમાર્થ કેરી પ્રાપ્તિની , અહાલેક ઘોષિત કરવામાં આવી છે . આ પ્રાપ્તિ જરા પણ મુશ્કેલ નથી . માટે તેને લગતા પ્રયત્નો માં લીન થઈ દીપક પ્રજ્વલિત રહેવા પ્રતિબદ્ઘ છે .
(ચ) નિરંતર પ્રકાશિત દીપ છેવટે ક્ષીણ થાય , આપૂર્તિ ના મળે , શક્તિ ઓછી થવા લાગે , અને જ્યારે દેદીપ્યમાન સ્મિત સાથે સમીપે આવે ત્યારે જીવન નો અંત જાણી ને , એ છલનામય ( મૃત્યુ ) ના પ્રકાશ માં અલોકિક મધુર મિલન માં ખિલ ખિલ , હસું હસું સમાઈ જાય . આ હશે : નિર્ગુણ બ્રહ્મ માં લીન , સુકર્મ થી સુગંધિત , નિરંતર પ્રકાશિત , સહજ , સરળ , સુભગ દીપક ની મધુર જીવન યાત્રા .
તા. /૮.૪.૨૦૨૦ / ૪. ૧૧.૨૦૨૧ આસ્વાદ/ આધ્યાત્મ વિચાર : : હિન્દી કવિતા : : મહાદેવી વર્મા . મધુર મધુર મેરે દીપક જલ ભાગ ૧ , , ૨ અને ૩ : આસો વદ અમાવાસ્યા દીપાવલી ૨૦૨૧ : ગુજરાતી વિ. સં. ૨૦૭૭ : : પૂણે ::::::::























********************************************** * દીવડો : દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું” : : : :

“દીવડો” દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું” : : સ્વર : સમૂહ ગાન : સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય, બારડોલી : માર્ગદર્શન : નિરંજના ક્લાર્થિ : : પ્રસ્તુતિ : મુકુલ ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૭ / ૧૦ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું /સાંભળીએ : : : :
https://youtu.be/iUmD-MYXJds?si=9S-N0-yZVReXqZw-
********************************************** * * દીવડો દલપત પઢિયાર : નૂતન વર્ષાભિનંદન સંદેશ અને ગાન : દલપતરામ મહારાજ” LIVE ૧૦ / ૧૧ / ૨૦૨૦ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું : સાંભળીએ : : : : https://youtu.be/c4ioIAaXrJQ?si=xxrPFfWOCdJIjjfp
“દીવડો” દલપત પઢિયાર : “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”” : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. . છઠ પૂજા દિવસ : કારતક સુદ છઠ : વિ.સં. ૨૦૮૨ : ૨૭ નવેમ્બર ૨૦૨૫ : : : :