આવશો ના આવશો ના : પિનાકીન ત્રિવેદી : : : :
આવશો ના આવશો ના
આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે
નીર બુઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના
ધૂમ ગોટેગોટ ઊડતા છોને
ભીતર-બાહિર આવરે જોને
ધૂમ ગોટેગોટ ઊડતા છોને
ભીતર-બાહિર આવરે જોને
તોય દયા કોઈ લાવશો ના
આવશો ના આવશો ના
આવશો ના આવશો ના
જીવજતને જાળવ્યા મારા
મહેલ બગીચા મોટા
આજ તૂટે ભડભડતી ઝાળે
જેમ ફૂટે પરપોટા
તોય દિલાસાવેણ
તમે કોઈ ક્હાવશો ના
આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે
નીર બૂઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના
સંકટની રણભેરીએ
મારાં ચેતન ઝબકી જાગે
ઘન ઘેરાં એ ત્યાગે
તેજ પતાકે તિમિરના
ઘન ઘોર મહાદૂર ભાગે
ઉરને નિરવ અંતઃપુરે
આજ પગરવ લાગે
એકલો મને મૂકજો બધા, સાથ વના
કોઈ ન થાશો સાથ ફના
શેષ રહે રાખ તેય
સ્મરણમાં રાખશો ના
આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે
નીર બૂઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના
— પિનાકીન ત્રિવેદી
અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ , બંગાળી લોકગીત ના ઢાળ માં : સ્વર : પિનાકીન ત્રિવેદી
https://drive.google.com/file/d/1kkFwUVzEmX9rX4rallAfNbNxTUmG3RX5/view?usp=drivesdk
એકલતાની લાગણી અને એકલાંપણું સ્વેચ્છાએ સ્વીકાર્ય એકાંત થી ભિન્નપણે , અનિચ્છનીય પસંદગી ની સ્થિતિનાં અનુભવ કહેવાં પડે જે ઘણીવાર ત્યારે થાય છે જ્યારે મનોવૈજ્ઞાનિક અવરોધો, ભૂતકાળના આઘાત અથવા પરિસ્થિતિગત ફેરફારો અર્થપૂર્ણ જોડાણો બનાવવાનું અને જાળવવાનું મુશ્કેલ બનાવે છે. જ્યારે વ્યક્તિને ઉર્જા પુનઃસ્થાપિત કરવાની, વ્યક્તિગત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અથવા પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરવાની જરૂર હોય ત્યારે વ્યક્તિ એકલા રહેવાનો ઇરાદો ધરાવે છે. ( એકાંતના સ્વસ્થ અર્થમાં ) : આ પ્રકારના નવીકરણ અને આત્મસ્થાપન માટેની , સ્વમતાગ્રહી સુધાર આધારિત રાખવાની પસંદગી કરી લેવા તેણે જાણી સમજીને એકાંત શોધીને એકલાં રહેવું જોઈએ. : સામાજિક માંગણીઓ અને ગૂંચવણભરી સંડોવણી માં લપેટનારી ઉત્તેજનાથી દુનિયાની ભાંજગડ માં સંકળાયા અને વગોવાયા હોઈએ તેનાં કરતાં તેનાંથી “મહાદૂર ભાગી” ને, કિંમતી સમય બચાવી એકાંતચારી વિરામ દરમ્યાન , જટિલ પ્રશ્ર્નો તથા લાગણીઓ પર જરુરી નિર્ણયગામી ( inductive ) નિષ્કર્ષ , તારણ અને સારાંશ પ્રેરિત જીવનપંથ પ્રાપ્ત કરવાનાં ઈરાદા અને પ્રયત્ન નું સૂચન , કવિ શ્રી પિનાકીન ત્રિવેદી ના ” આવશો ના આવશો ના” કાવ્ય ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી નિરનિરાળું સાનંદાશ્ચર્ય થાય છે. અહીં કવિએ કહ્યું છે :
“આંગણે મારે આગ લાગી ભલે
નીર બુઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના”
“ધૂમ” એટલેકે ઘૂમાડો : જેનાં “ગોટેગોટ” એટલે કે ધૂમાડા ના ગૂંછળાં , ઊડી ઊડીને , “ભીતર બાહિર “/ અંદર – બહાર : ચોપાસે આવરી લેતાં ઘેરી વળે , વીંટી વળે અને શ્વાસાવરોધ ની ગુંગળાવતી ગભરામણ ને અકળામણ થાય : કહેવું છે : ધૂમમય ધૂમરૂંધી આચ્છાદન થી વીંટાઈ ને, રંગાઈ ને , બદલાતી હયાતી નું પરિવર્તિત ધૂમડું સુવાંગી પણ ‘દયનીય’ સ્વરૂપ જોવા જેવું હોય , ખરું ને ! : ત્યારે કવિએ કહ્યું છે ,
ધૂમ ગોટેગોટ ઊડતા છોને
ભીતર-બાહિર આવરે જોને
ધૂમ ગોટેગોટ ઊડતા છોને
ભીતર-બાહિર આવરે જોને
તોય દયા કોઈ લાવશો ના
આવશો ના આવશો ના
આવશો ના આવશો ના
જ્યાંથી જ્વાળા નહિ નીકળે અને માત્ર ધૂમ્રાગ્નિ ની ભૂખરું ધૂમડું રંગનાં ધૂમાડાંનાં ગોટેગોટા નીકળે એ જોઈને કરુણ ભાવે અનુકંપા ઉપજે , ક્યમ કરીને દુઃખ દૂર થાય ? એવી પૃચ્છા કરતી સહાનુભૂતિ દાખવી મળવાનું મન થાય. એ સમજનાર ‘જાણીઅલ’ કવિ ‘મના’ કરતી સૂચના આપી શકે છે. તેથી કહ્યું છે, ” તોય દયા કોઈ લાવશો ના , આવશો ના , આવશો ના.”. “આંગણે મારે આગ લાગી ભલે
નીર બુઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના”
જીવના જતને બગીચા સાથેના મોટા મહેલ બંધાવ્યાં ; જે આજે લાગી આગથી પરપોટા ફૂટે એમ જોરશોરથી તૂટી રહ્યાં છે . અંતરંગી સહ્રદયી ‘રસિકડાં’ ( નર્મદ ) જન , વખતે ખરખરો કરવા / દિલસોજી ભર્યા સહાનુભૂતિ નાં વેણ / દિલાસા નાં વેણ વચન કહાવે ને વળી ઉત્સાહથી જાતે ય ધસી આવે. એ સમજનાર જ્ઞાની કવિ દોડાદોડી ને મના કરતી સૂચના આપી શકે છે. તેથી કહ્યું છે, “તોય દિલાસાવેણ તમે કોઈ ક્હાવશો ના , આવશો ના આવશો ના.” : : કવિએ અહીં, પૃથ્વી તત્ત્વો નાં પ્રતિનિધિ રૂપ ધૂમાડા ને ઉર્ધ્વગામી આકાશી અધ્યાત્મિક ક્ષેત્ર સાથે જોડી શકાતાં સંદેશવાહક પુલ તરીકે : transition between the material and spiritual realms : તરીકે જોવાં ની સંક્રમિત સંરચના નું ચિત્ર સ્પષ્ટ કરી આપ્યું છે. ધૂમ્રાગ્નિની આડપેદાશ તરીકે, તે ઘણીવાર શુદ્ધિકરણ, પ્રાર્થનાઓ નું વહન અને જીવનની અસ્થાયીતા નું પ્રતિનિધિત્વ કરે છે. ભૂખરો /ધુમડું રંગ તટસ્થ, સ્થિર ઊર્જા અથવા રાહ જોવાના સમયગાળા , ઊર્ધ્વગામી પ્રતિબિંબ અને છુપાયેલા ઊંડાણો નું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં, તે દિવ્યતાના રહસ્યમય, અલૌકિક સ્વભાવનું પ્રતિનિધિત્વ કરી શકે છે. આથી દૈવિક પ્રાર્થનાઓ દરમિયાન ધૂપ અને ધૂપસળી ની ધૂમ્ર સેર ક્ષણિક પળોમાં ઊર્ધ્વતા નો અધ્યાત્મિક અનુભવ કરાવે છે. તિબેટીયન બૌદ્ધ ધર્મ ધુમાડાના રંગ ને દુઃખ અને જ્ઞાનની જટિલતાઓને પ્રકાશિત કરવાની વિભાવના સાથે જુવે છે. ( વૈદિક જ્યોતિષમાં, ધુમાડા નો રંગ ધૂળ-તોફાનના રંગ સાથે જોડ્યો છે, જે દુઃખ અને પ્રતિકૂળતાના સમયગાળા નું પ્રતીક છે. ) : : દ્વિતીય અંતરા માં નિર્દેશિત “પરપોટો” : ખોટાં અને ખાલી દેખાવ નાં પ્રતિનિધિ રૂપ ‘ભ્રમ’ ને સૂચવે છે. કવિએ કહ્યું છે , : “આજ તૂટે ભડભડતી ઝાળે જેમ ફૂટે પરપોટા” : એ રૂઢિપ્રયોગ ‘ખોટાં આડંબર ખુલ્લાં પડી રહ્યાં’ નાં સ્વાનુભવ સૂચવે છે. જે ભરમ સેવ્યાં હતા તે તૂટી જવા પામે. : એકાંત સાધનાથી ચરિતાર્થ સ્વચિંતન આત્મનિરીક્ષણ માટે જગ્યા મળે છે, જેથી વધુ આત્મ-જાગૃતિ સ્વ-સ્વીકૃતિ અને વ્યક્તિગત વિકાસ થાય છે. શાંત વાતાવરણમાં સર્જનાત્મક શક્તિ બહાર આવે છે, જેમાં કોઈ વિક્ષેપ નથી હોતો. ઊંડા વિચાર દાર્શનિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ દોરી જઇ શકે. કવિએ એકાંત પસંદ કરીને સ્વાયત્તતા નો અભ્યાસ આદર્યો છે જે એમને પોતાની શરતો પર જીવવા, સમાધાન વિના નિર્ણયો લેવા અને સામાજિક દબાણથી મુક્ત પોતાનું અધિકૃત ‘સ્વત્ત્વ’ પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે. વ્યક્તિ નું ચિત્ર, ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી , નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય. : : : : : : : : : : : : : ગીત ના મૂખડા ની જેમ પ્રથમ અને દ્વિતીય અંતરા ની પંક્તિઓ માં નિર્દેશિત ધૂમાગ્નિ અને તેમાંથી બહાર આવતો ધુમાડો , કવિએ ધારેલાં અને આદરેલાં આત્મસ્થાપન માટેના શ્રદ્ધેય પરિવર્તનની દૃશ્યમાન , ક્ષણિક આધ્યાત્મિક પ્રક્રિયાનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં એકાંતે તપશ્ચર્યા માટે માત્ર ધૂમાડો પીનાર તપસ્વી તરીકે નું : ‘ધૂમપ’ વ્યક્તિ નું ચિત્ર, ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જોવાથી , નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય છે. : : : :
“સંકટની રણભેરીએ
મારાં ચેતન ઝબકી જાગે
ઘન ઘેરાં એ ત્યાગે
તેજ પતાકે તિમિરના
ઘન ઘોર મહાદૂર ભાગે
ઉરને નિરવ અંતઃપુરે
આજ પગરવ લાગે” : : : : : : : તૃતીય અંતરામાં દુઃખદાયી આપત્તિ વિપત્તિ , તાણ કષ્ટ નાં ઉત્પાત , યુદ્ધારૂઢ થઈ ને રણભેરી જેવા યુદ્ધ ના વાદ્યનો શંખનાદ સંભળાય ત્યારે ઝબકીને જાગ્યાં ચેતન ( Consciousness ) વિશે કહેતાં કવિએ પ્રાણશક્તિ નાં સંચાર થતાં પંચમહાભૂતોમાં નું એક અગ્નિ તત્ત્વ તે : તેજ / તેજસ નાં પ્રભાવથી , ઓજસ્વી કિરણોનાં ઝળહળાટથી , જીવાત્મા ની / પ્રાણ શક્તિ ની પતાકા પથરાતા , કેવી રીતે અજ્ઞાનરૂપ તિમિરના/ અંધકારના “ઘનઘોર ( કાળાં વાદળાં થી આચ્છાદિત અનિષ્ટો ) મહાદૂર ભાગે” તે સમજતાં કહ્યું છે, “ઉરને નિરવ અંતઃપુરે આજ પગરવ લાગે”: આપોઆપ સહજ રીતે ,એની મેળે ,સ્હેજ સ્હેજ નીરવપદઘોષ ‘આવનાવાજ’ : પ્રભુ નો આવવાંનો પદરવ , એ પગરવ . . . . અહીં ‘પદધ્વનિ’ અને પ્રાણશક્તિ ના ઓજસ્વી “તેજ” નું : પ્રભુના જરીક સુણેલા ઉષ્ણસ્પર્શી તેજસ્તવ નું સમાનાધિકરણ થયું છે, જે તદ્દન શાંત કવિ હ્રદય ના , “ઉરને અંતઃપુરે” થતી પરિણામિક અત્યંત સુખદ અનુભૂતિ છે . ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું ‘જ્ઞાનદીપ્તિ’ (જ્ઞાન મળ્યાં ની ઉજ્જવલ સ્થિતિ ) નું નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય છે. : : : :
” એકલો મને મૂકજો બધા, સાથ વના
કોઈ ન થાશો સાથ ફના : : : : : : : :ચતુર્થ અંતરામાં,
આપોઆપ સહજ રીતે ,એની મેળે ,સ્હેજ સ્હેજ નીરવપદઘોષ ‘આવનાવાજ’ : પ્રભુ નો આવવાંનો પદરવ , એ પગરવ સુણાયા બાદ અને પ્રભુ પંથકમાં જ્ઞાનદીપ્તિ નાં એ જ માર્ગે આગળ અને આગળ વધતાં રહીને ફના થઈ જવાં સુધી, જીવનના અંત સુધી કોઈ નાં પણ સાથ વિના, એકાંતચારી ચિંતન મનન અને સાધના માટે કવિ ની આજીવન પ્રતિબધ્ધતા સુપેરે વ્યક્ત કરતાં કહ્યું છે ” શેષ રહે રાખ તેય
સ્મરણમાં રાખશો ના
આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે
નીર બૂઝાવવા લાવશો ના
આવશો ના આવશો ના “
ગીત નાં ગાનસ્વરૂપે નિખરી ઊઠતું જ્ઞાન મેળવવાની ધગશ, નિષ્ઠા અને જિજ્ઞાસા નું : ‘જ્ઞાનતૃષા’ નું જ્ઞાનદર્શી નિરનિરાળું દાર્શનિક ચિત્ર રજૂ થતાં સાનંદાશ્ચર્ય થાય છે. : : : :
“ આવશો ના આવશો ના” : પિનાકીન ત્રિવેદી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : જાન્યુઆરી ૧૫ / ૧૭ , ૨૦૨૬ : : : : : : : : : : : : : : :
*********************************************
: : : : : : એકલો જાને રે : રવિન્દ્રનાથ ટાગોર : મહાદેવ દેસાઈ તારી જો હાક સુધી કોઈ ના આવે તો એકલો જાને રે!એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
જયારે કોઈ મુખ ના ખોલેઓ રે ઓ રે ઓ અભાગી ! કોઈ મુખ ના ખોલે જયારે સૌ કોઈ બેસે મુખ ફેરવી; ભયથી કાંઈ ના બોલે ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,તારા મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જયારે સૌએ પાછાં જાય,ઓરે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,ઓ રે ઓ રે ઓ અભાગી !
દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે, તું સળગી જઇને સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …
— રવીન્દ્રનાથ ટાગોર
સમગેય અનુવાદ : મહાદેવભાઈ દેસાઈ : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ LIVE : ચોપાટી , મુંબઈ સ્થળે ભારતીય વિદ્યા ભવન આયોજિત , ગાંધી સાર્ધ શતાબ્દી વર્ષ ૨૦૧૯ કાર્યક્રમમાંની રજુઆત અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/ZsQo8gg8Yu4?si=38AsdMRhkLHo0M5o
એકલો જાને રે : રવિન્દ્રનાથ ટાગોર : મહાદેવ દેસાઈ : : સ્વર : મયુર ચૌહાણ : નેરેટીવ લિરીકસ વિડીયો : : બંગાળી સ્વરાંકન અને સંગીત નિયોજન રવિન્દ્રનાથ ટાગોર : : સમગેય ગુજરાતી સ્વરાંકન : ટ્રેડિશનલ : : સંગીત નિયોજન : હર્ષલ અને કદમ શર્મા : : રિધમ : પ્રભાકર મોરે : : રેકોર્ડિંગ : કોટેચા ODB સ્ટૂડિયો : : Red Ribbon Release 2 / 12 / 2020 : : યુ ટ્યુબ રિલીઝ ૫ / ૫ / ૨૦૨૫ : : અહીં નીચે ક્લિક કરીને જોઈશું / સાંભળીએ : : : :
https://youtu.be/uASZ-o609Eo?si=FgozwlLbYJoG5Jqo
ssgujarateducation Release Video Song For Std 6 gujarati ch 18 Textbook Students : Aeklo jane re kavya : : સ્વર , સ્વરાંકન સંગીત : અજાણ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/ZUm_d3CoPCw?si=VLSJWoDrbAXwZGGT

Performing Singers of BIMMA ( Beeps Institute of Music and Media Arts : Mitali Ghosh , Bulu Ghosh and BEEPS Students : : Created and presented by Bulu Ghosh As Video Song Remembering Rabindranath Tagore ( deeply connected with this Area of presentday Jharkhand ) on 155 Th Birth Anniversary : In the backdrop of Jharkhand where this song was written in 1905 As Onee of 22 Patriotic songs on The Occasion of Partision of Bengal in 1905 By British Viceroy Lord Karzon .
Click HERE in BELOW To Enjoy the aforesaid Hindi Video Song : : : :
https://youtu.be/PXU3_vbNii4?si=AsWe8qQEnzvvPAqI
Click HERE in BELOW To Enjoy the Audio of the Hindi Song : Teri Awaaz pe Yadi koi na aaye to chal Akela re By Manna Dey : SAREGAMA Release 13 / 4 / 2001 : You Tube Release 16 / 2 / 2019 : : : :
https://youtu.be/bYcZIC9oRNo?si=_wMnCKkw4-ob7sm2

EKA ( Alone ) 1905 Patriotic song By Rabindranath Tagore ( Who himself recorded it but Not found available anywhere / Lost ) : : “Ekla Chalo Re” was written at Giridih town in modern-day Jharkhand, India. It was one of the 22 protest songs written during the Swadeshi period of Indian freedom movement and along with “Amar Sonar Bangla”, it became one of the key songs for the Anti-Partition Movement in Bengal Presidency in 1905. Titled as “Eka” (“Alone”) the song was first published in the September 1905 issue of Bhandar magazine. “Eka” was first included in Tagore’s song anthology Baul in 1905. In 1941, it was incorporated into the “Swadesh” (“Homeland”) section of Gitabitan, the complete anthology of Tagore’s music.
Ekla Chalo Re : : Rabindranath Tagore : Vocal : Kishore Kumar : : Click HERE in BELOW To Enjoy the aforesaid Audio : : Upload You Tube Upload Release 12 / 1 / 2011 : 2.7 M Views , By Sajal Sarkar Of FCI , Kolkata : : : :
https://youtu.be/Pmzvr3aZXQc?si=kppZG52w2eHhOk3N

Vocal In Bangla : Shreya Ghoshal : : Lyrics Video Song : Alongside English Translation and Quotes of Rabindranath Tagore : : You Tube Release 13 / 1 / 2018 : With 4,891,556 ( 4.8 M ) Views till present day 15 /1/2025 : : Click HERE in BELOW To Enjoy the aforesaid Audio Video Song : : : :
https://youtu.be/r94gSTyH2cM?si=n-4NSs7EJDwZU8bE
Ekla cholo re : Rabindranath Tagore : Meaning : Pending .. . Presented by V Jayaraj Pune India January 15, 2025 : : : : : : : :































































