મ્હોર્યા માંડવા : ઉમાશંકર જોશી : : સખી સૈયર નાં ગીત : :

મ્હોર્યા માંડવા સખી, ગણું ગણું તે કઈ મંજરી, ગણતાં કંઈ કંઈ રહી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, સેંથે ચડતાં આંખડી અંજાતી ને અટવાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, ઊતરે કેશલટે નજર પાની લગ લપટી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, નેહછલકતાંContinue reading “મ્હોર્યા માંડવા : ઉમાશંકર જોશી : : સખી સૈયર નાં ગીત : :”

અમે મેળે ગ્યાં’તા : ઉમાશંકર જોશી : :

અમે મેળે ગ્યાં’તા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગામ ને કૂવે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : :

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%82%E0%AA%B5%E0%AB%87 ગામ ને કૂવે પાણીડાં નહીં ભરું ઉમાશંકર જોશી સ્વર ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ  : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : ગામ ને કૂવે : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ માં ! : ઉમાશંકર જોશી : : શ્રાવણી : :

શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી શ્રાવણ હો !. અરધી વાટે તું રેલીશ મા !. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !. અરધી વાટે તું રેલીશ મા ! ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.. અરધી વાટે… આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.. અરધીContinue reading “શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ માં ! : ઉમાશંકર જોશી : : શ્રાવણી : :”

વ્હાલપ ની વાત : વર્ષા ની રૂમઝૂમતી રાત રંગભીની : ઉમાશંકર જોશી

વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.એવી  વ્હાલપની  વાત રંગભીની. આકાશે વીજ ઘૂમે,હૈયામાં પ્રીત ઝૂમે,છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની. બાજે  અજસ્ત્રધારવીણા  સહસ્ત્રતારસ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. ઓ રે વિજોગ વાત!રંગ   રોળાઈ   રાત,નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. -ઉમાશંકર જોશી 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️Continue reading “વ્હાલપ ની વાત : વર્ષા ની રૂમઝૂમતી રાત રંગભીની : ઉમાશંકર જોશી”

પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી  : નિરૂપમા શેઠ અને  ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગામ : ( ૧ ) : : અંતરપટ : જૂગતરામ દવે : ( ૨ ) : :

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી કોકિલ, પંચમ બોલ બોલો.                કે પંચમી આવી વસંતની.દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –.                                કે પંચમી આવી વસંતની. મંજરી, મત્ત થઈ ડોલો.                કે પંચમી આવી વસંતની.આંબે આંબે હસે રસની કટોરીઓ,ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ..                આછો મકરંદ મંદ ઢોળો.                                કે પંચમી આવીContinue reading “પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી  : નિરૂપમા શેઠ અને  ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગામ : ( ૧ ) : : અંતરપટ : જૂગતરામ દવે : ( ૨ ) : :”

ગાણું અધૂરું મેલ મા’ : ઉમાશંકર જોશી : :

ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી ગાણું અધૂરું મેલ મા,‘લ્યા વાલમા,ગાણું અધૂરું મેલ મા. હૈયે આયેલું પાછું ઠેલ મા,‘લ્યા વાલમા,હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,‘લ્યા વાલમા,ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o ઓરાં બોલાવી ધકેલ મા,‘લ્યા વાલમા,છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o છાતીથી છેટાં મેલContinue reading “ગાણું અધૂરું મેલ મા’ : ઉમાશંકર જોશી : :”

માનવી નું હૈયું : માનવી ના હૈયા ને નંદવામાં વાર શી ? : ઉમાશંકર જોશી : નિરૂપમા શેઠ : અજીત શેઠ : :

માનવીનું હૈયુંમાનવીના હૈયાને નંદવામાં વાર શી?અધબોલ્યા બોલડે,થોડે અબોલડે,પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી,જરીશી કરી વળી,એના એ હૈયાને રંજવામાં વાર શી?એવા તે હૈયાને નંદવામાં વાર શી? માનવીના હૈયાને રંજવામાં વાર શી?એના એ હૈયાને નંદવામાં વાર શી?— ઉમાશંકર જોશી ૨૮-૧૦-૧૯૩૭(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮) * https://tahuko.com/?p=14606  માનવી નું હૈયું : ઉમાશંકર જોશી :Continue reading “માનવી નું હૈયું : માનવી ના હૈયા ને નંદવામાં વાર શી ? : ઉમાશંકર જોશી : નિરૂપમા શેઠ : અજીત શેઠ : :”

મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : પરેશ ભટ્ટ : Live show : ( ૧ ) : : ધૃવિશ શાહ : Live show : જલસો ટીમ : ( ૨ ) : : સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : 

મારું જીવન એ જ મારી વાણી – ઉમાશંકર જોશી.                 મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી.મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો. મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય.મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર. સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હોContinue reading “મારું જીવન એ જ મારી વાણી : ઉમાશંકર જોશી : પરેશ ભટ્ટ : Live show : ( ૧ ) : : ધૃવિશ શાહ : Live show : જલસો ટીમ : ( ૨ ) : : સૌમિલ મુનશી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૩ ) : : “

પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય :  ઉમાશંકર જોશી : પ્રભુ દર્શનની  અભીપ્સાનું ગીત : : અમર ભટ્ટ

પગરવ પ્રભુ, તારો પગરવ જરી સુણાય. વનવનવિહંગના કલનાદે, મલયઅનિલના કોમલ સાદે. ઉડુગણ કેરા મૂક વિષાદે ભણકારા વહી જાય. પ્રભુ તારો પગરવ જરી સુણાય. ગિરિનિર્ઝરના નૃત્યઉમંગ, સરિતતણા મૃદુમત તરંગે, ઋતુનતૅકીને અંગેઅંગે મંજુ સુરાવટ વાય, પ્રભુ તારો પગરવ જરી સુણાય. અહોરાત જલસિંધુ ઘૂઘવે, ઝંઝાનિલ મઝધાર સૂસવે, વજ્રધોર ધન ગગન ધૂંધવે. ધ્વનિ ત્યાં તે અથડાય, પ્રભુ તારો પગરવContinue reading “પગરવ : પ્રભુ તારો પગરવ જરી સુણાય :  ઉમાશંકર જોશી : પ્રભુ દર્શનની  અભીપ્સાનું ગીત : : અમર ભટ્ટ”

Design a site like this with WordPress.com
Get started