ચંદા – ચંદની. સુખકંદા – સુખનું મૂળ એવી. મંદા – ધીમી ધીમી. શશીલીટી – ચંદ્રના પ્રકાશનો પાણી ઉપર વધારે ચળકતો જે સેડ્ડો પડે છે તે (એ સેડ્ડો તથા એ સેડ્ડા નાં પાણી ભરતીથી ઉતાવળાં ઊંચાં નીચાં થયાં કરતાં-કુદતાં હોય છે તે) આનંદા – આનંદ આપનારી (શશિલીટી.) સ્વછંદા – (આસમાન અને જમીન એ બેની વચમાં ની ચાંદની હવામાં ધ્રુજતી ચાંદની પોતાની ઇચ્છામાં આવે તેવી જાય છે– વખતે ઘણી સફેત, વખતે ફીકી લીલી અને વખતે ભુરી-હવાની હાલત પ્રમાણે દેખાય છે.) બંદા – પોતે ( રસે ડુબ્યા- કુદરતના વિચારમાં ઘૂમ થઇ ગયા.)::
પહેલાં બ્રિટિશ રાજમાં સૂરત થી મુંબઈ વચ્ચે વહાણો તાપી નદી / અરબી સમુદ્ર પરથી આવાગમન કરતાં. જ્યારે સરકારે મુંબઈ થી થાણે વચ્ચે પહેલી જ વખત યાતાયાતાર્થે પણ રેલવે ચલાવી હોવાં છતાં એ રેલવે લાઈન નો વિસ્તાર થવા લાગ્યો અને ગુજરાત પ્રદેશમાં પણ આગળ વધી અમદાવાદ ને પણ જોડી દેવામાં આવ્યું ત્યારે ગુજરાતી પ્રજા – સમાજ ના પંડિતો એ સુધારા વિરોધી ભવિષ્યવાણી કરી હતી કે આ રેલવે ગાડી નર્મદા નદી પર થી બાંધ્યા બ્રિજ પરથી પસાર થઈ નર્મદા નદી નહિ ઓળંગી શકે ; પણ એ વિરોધીઓ ખોટાં પડ્યા . એટલું જ નહીં પણ રેલવે પ્રવાસ ના કારણે ગુજરાત અને મુંબઈ વચ્ચે વ્યાપાર વિનિમય સુગમ થતાંધંધાકીય પ્રગતિ થઈ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા મુંબઈ માં સ્થપાયેલી કોલેજોમાં ભણવાનો અભિગમ અને શિરસ્તો લોકપ્રિય થયો. મુંબઈ ના પરા વિસ્તાર માં મોટી સંખ્યામાં ગુજરાતીઓ કુટુંબ – કબીલા સાથે સ્થિર થયાં. પ્રજા ને જોઈતાં સુચારુ કાયદો, વ્યવસ્થા, નિરાંત અને નિશ્ચિંતતા મળ્યાં.
૧૮૫૭ માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. ભારતીય અને યુરોપીય સંસ્કૃતિઓ ના સમન્વય યુગમાં સાક્ષર યુગ વિસ્તરણ થવા થનગની રહ્યો જેનાં સાક્ષર વૃંદ ( નિ. ભગત ) સમગ્રપણે સમાજમાં સમુદ્ધાર લાવવા પ્રતિબદ્ધ બની. નવાં સાહિત્ય સંસ્કાર , ધાર્મિક અને બૌદ્ધિક જ્ઞાન પ્રસિદ્ધ થયાં. : : : : : ; : : લહિયા પિતા ધંધાર્થે મુંબઈ રહેતા હોઈ નર્મદની બાલ્યાવસ્થા મુંબઈમાં. પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વર ની ગામઠી શાળામાં વિદ્યારંભ થયો. નર્મદે પણ પણ મુંબઈ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં થી , ૧૮૫૦ થી ૧૮૫૨ , અને ૧૮૫૪ થી ફરી થી શિક્ષણ મેળવ્યું. અંગ્રેજી સાહિત્ય / કવિતા પ્રિય રહી. ૧૮૫૩ માં પ્રથમ કાવ્ય રચના. નર્મદ ની પ્રકૃતિ ને લગતી કવિતા ઉપર વડર્ઝવર્થ ની પ્રકૃતિ કવિતાનો પ્રભાવ દેખા દેય છે. સ્વતંત્ર વિષય તરીકે પ્રકૃતિને કવિતામાં નિરૂપવા નો યશ નર્મદને ફાળે જાય છે. નર્મદ ની તમામ કવિતાઓ ‘ નર્મ – કવિતા ( ૧૮૬૪ ) માં સંગ્રહિત થયેલી છે.: નર્મદે જીવનકાળ દરમિયાન ( ૧૮૩૩ – ૧૮૮૬ )નિબંધ ઉપરાંત આત્મચરિત્ર, જીવનચરિત્ર, નાટક, વિવેચન, ઇતિહાસ, પત્રકારત્વ વગેરે સ્વરૂપોમાં તે નોંધપાત્ર પ્રદાન કરે છે. સુધારક યુગ ના આ અગ્રણી સાહિત્યકારને ‘સમયમૂર્તિ’ તરીકે ઓળખવામાં આવ્યો છે. સાહિત્યને સાધન બનાવી તે સમાજમાં વૈચારિક આંદોલન પ્રગટાવે છે અને ગુજરાતી સાહિત્યના સમગ્ર બાહ્ય કલેવર ને તથા અંત:તત્વને ધરમૂળથી પલટી નાખે છે.એકલે હાથે કરેલાં નવપ્રસ્થાનો પર દૃષ્ટિપાત કરીએ છીએ ત્યારે તે આપણને ‘પ્રાણવંતો પૂર્વજ’ લાગે છે. તેને ‘યુગંધર’, ‘યુગપ્રવર્તક’ અને ‘યુગદ્રષ્ટા’ પણ કહ્યો છે. : : : :
Moonlight Over The Sea
“દરિયામાં ચાંદનીની શોભા ” નર્મદે , સૂરત થી મુંબઈ આવતાં પૂર્ણિમાના પ્રતીતિકર ચંદ્રને નિહાળીને લખેલું ગીત ,એ ચાંદની દરિયા પરે શ્વેત , ફિક્કી -લીલી કે ભૂરી લીટીબદ્ધ થઈ વિસ્તરીને કેવી સરસ સોહે ! શોભાયમાન દ્રશ્ય રચે ! અને સુખદ અનુભવ થાય તેનો પ્રતિભાવ આપતું શિષ્ટ સુંદર પ્રતીતિવંત ગીત છે : impressionistexperience જે નિસ્તીર દરિયાની અપાર જળરાશિ માં ચાંદનીની ચળકતી શોભા થી , જેને નર્મદ “શશીલીટી” કહે છે તેનાથી અકૃત્તિમપણ સ્વાભાવિકપણે સીમારચી આપે છે. : : નર્મદે આ ગીત ને ‘રેખતો‘ ફારસી ની અસરવાળી ઉર્દૂ કવિતાકહેલ.
“આહા પૂરી ખીલી ચંદા, શિતળ માધુરી છે સુખકંદા ” મુખડા ની કાવ્ય ગીત ના ઉઘાડ ની પંક્તિ : : ” પૂરી ખીલી ચંદા ” એટલે પૂર્ણિમાનો ચંદ્ર શીતળ , મધુર અને સુખદાયક લાગ્યો સોહે છે.
“પાણી પર તે રહી પસરી, રૂડી આવે લેહર મંદા.” આહા0 ૦૧ : : સોહામણી ચાંદની પાણી પર પ્રસરીને ધીમે ધીમે , મંદ મંદ ફરકતી પાણીની છોળરૂપેદરિયાની લહેર રૂડી લાગે છે.
“શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા.” આહા0 ૦૨ : : પૂર્ણિમાની ભરતી ના ઊંચા નીચા થયાં કરતાં પાણીના મોજાં વધારે ચળકતાં અને આભાસમય ઝાંખી છાંય સાથે તેજછાંય ની કૂદતી કૂદતી આગળ વધતી અને રૂડી ચળકતી “શશીલીટી”ઉતાવળે આવીને ગમ્મતી હીલોળે ચઢી છે. ( જે આનંદદાયક પ્રતીતિ કરાવે છે.) : :
“ઊંચે ભૂરું દીપે આસમાન, વચ્ચે ચંદા તે સ્વછંદા.” આહા0 ૦૩ : : ઊંચે ભૂરું આસમાન અને કવિ જ્યાંથી દરિયો નિહાળી રહ્યાં છે એ જમીન : એ બેની વચમાં ની , હવામાં ધ્રુજતી ચાંદની , પોતાની ઇચ્છામાં આવે તેવી દેખાતી જાય છે– વખતે ઘણી સફેત ( શ્વેત / સફેદ ), વખતે ફીકી- લીલી અને વખતે ભુરી- , ( એમ રેલાતી સ્વેચ્છાચારી ) ચાંદની મરજી મુજબ વર્તતી ( હવાની હાલત પ્રમાણે ) ત્રણ રંગ રૂપ બદલતી દેખાય છે. : :
“નીચે ગોરી ઠારે નૈનાં, રસે ડૂબ્યા નરમદ બંદા.” આહા0 ૦૪ : : કોઈ સૌભાગ્યવતી / સૌભાગ્યકાંક્ષી સુંદર સ્ત્રી : ગોરી ઉક્ત દૃશ્ય નિહાળીને પ્રસન્ન મને સંતુષ્ટિ પામી રહી છે, અને ( કવિ ) નર્મદ પોતે પણ કાવ્યરસ ની જમાવટ માં / ચિત્ર ગીત ની રસોર્મી માં ડૂબી ગયા છે. : :
“સવિતા નવ વર્ષ તણો ઊગતો ” : સૂર્ય ના ૧૨ નામ : : ૧) દિનકર : દિવસના સ્વામી ૨) આદિત્ય : કશ્યપ ઋષિ ના સંતાન , અદિતિ માતા હોય , આદિત્ય ૩) રશ્મિ મતે : પ્રકાશના પૂન્જ અર્થ હોય ૪) ભુવનેશ્વર : પૃથ્વી પર રાજ કરનાર ૫) પ્રભાકર : પ્રાતઃકાળથી વિદ્યમાન ૬ ) સૂર્ય : જેનો અર્થ ભ્રમણ કરનાર ભાસ્કર જે સંસારમાં ભ્રમણ કરતા રહીને દરેકના દુઃખ દ ના દૂર કરે ૭) ભાનું : જેના અલૌકિક તેજનો લાભ ગરીબ – તવંગર, દરેકને એક સમાન રીતે મળ્યા કરે ૮) દિવાકર : રાત્રીના અંધકાર નો અંત કરનાર ૯) આદિદેવ : સૃષ્ટિની શરૂઆતથી અંત સુધી દિવસે જોઈ શકાય એવા સાક્ષાત આદિદેવ ૧૦ ) સપ્તરથી : હજારો કિરણો થી લિપ્ત સાત ઘોડાના રથ પર સવાર સૂર્યદેવ ૧૧) રવિ : બ્રહ્માંડ ની શરૂઆત રવિવારે થયેલી , અઠવાડિયા , રવિવારે શરૂ થાય માટે આદિદેવ રવિ નામથી ઓળખાય. ૧૨ ) સવિતા : મંત્ર ના સ્વામી અને પ્રકાશ ના સ્વામી , ઉત્પન્ન કરનાર અજવાળાં ના દેવ , સૂર્ય સવિતા ( સ્ત્રી) નામે ઓળખાય. : : “There are sunrise and sunset every single day and they are absolutely free. Don’t miss any of them” goes a saying. : Look at the 10 Places atleast For Amazing Sunrise Places Near where you live on : And Head on for an “AlluringExperience”Surya Arghya – Offering water to #Sun, Procedure, Mantra recitation: Sunrise. : : : : : : In Vedic Astrology, Sun is considered as the significator of Soul, Health, Father, Social Reputation, Superiors, Governmental Support, Eye and Profession. By offering water to Sun with devotion, Lord Sun blesses in all these aspects of life. Temple Namaskar : Hindu Way : By An Indian Woman : Sculpture: પ્રભુ સમક્ષ પ્રાર્થના મુદ્રા હ્રદય સન્મુખ રાખીને વિદિત સ્તુતિ ગાન : : “સવિતા નવ વર્ષ તણો ઊગતો” : “PRAYER” Acrylic painting By Victor Yushkevich ( Released August 13, 2022 You Tube : Taken here For Educational Purposes only. ) : :Artist describes,” A Temple on the shore of a lake. Sunrays have illuminated the Clouds with fiery Golden colour. A Mysterious beautiful place to talk to God. A man is trying to glorify the Great God, His Godly blessed landscape thanking Him for His mercy and love for the people of the landscapes.”Dear Viewers / Listening this Stutigaan : “સવિતા નવ વર્ષ તણો ઊગતો” given HERE In BELOW with Prescribed interpretation , Kindly PRAY FOR The BLESSINGS For the Earth and For the People. : : MayHere by Seek The God ! : :
રસદર્શન : આસ્વાદ કાવ્યાર્થ અર્થ નિર્દેશ વિચાર : વિ જયરાજ પૂના ઈન્ડિયા : : : : 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 મનુષ્યનું અસ્તિત્વ કાળ ની સંગતે અગમ નિગમના અનુક્રમે ( the past and the future ) પ્રવાહપતિત ( drifting with ) થતું રહ્યું હોય છે. કાળના પ્રવાહનુંવહેણ નિત્યસંચરતું રહે એ તો સૃષ્ટિ સર્જતા ની સાથે જ નિર્મિત થઈ ચૂકેલું રહસ્ય!? : : શ્રી સાગર મહારાજ ના “સવિતા નવ વર્ષ તણો ઊગતો”: આ ‘સ્તુતિ કાવ્ય’ ના સ્તુતિપાઠક “પ્રભુ” સમક્ષ “અધૂરું મધુરું ઉચરું ( છું ) , પામર છું , શું હું માંગી શકું !?” બોલતા ; “ગત વર્ષ : નવ વર્ષ” તણી અંકાવલિ ( અંકો ની પંક્તિઓ ) પ્રસ્તુત કરી સ્વર અંકન કરે છે.
“સવિતા” ( સ્ત્રી.) , સૂર્ય ના પ્રચલિત ૧૨ નામોમાં નું એક નામ છે.. સૂર્ય પ્રકાશના સ્વામી, અજવાળાં ના દેવતા : સવિતાનો અર્થ ‘ઉત્પન્ન કરનાર’; મંત્રના સ્વામી : પૃથ્વી સમેત આપણા ગ્રહ મંડળના નિયામક મુખ્ય તેજસ્વી ગોળો , તે સૂર્ય. : સૂર્ય શબ્દ ના ગુણધર્મો ધરાવતા પ્રચલિત , ખુશખુશાલ સહિત ૧૨ ભાવનાત્મક અને લાક્ષણિકઅર્થગણાવી શકાય ; જેમકે,ખુશખુશાલ, સર્જનાત્મક, આધુનિક, સક્રિય, સચેત, મૈત્રીપૂર્ણ, નસીબદાર, અસ્થિર,ગંભીર, સ્વભાવગત, ઉદાર, સક્ષમ : સ્તુતિપાઠક બોલે છે , “સવિતા નવ વર્ષ તણો ઊગતો , મંગલ પુણ્ય પ્રભા ભરતો, નવુંજૂનુંક્રમે વરસો ગણતો;”: મંગલ , એટલે શુભ કલ્યાણકારી ; પ્રભા , એટલે તેજ દમામ; પુણ્ય, એટલે પાવન શુભ અદૃષ્ટ ફળ : આમ , નવા વર્ષના પ્રારંભે , ઉપરોક્ત સદ્ગુણોને બતાવવાની ‘મીમાંસા’ જગવવા ને સારું ઊગતો સૂર્ય / સવિતા, પાવનકારી કલ્યાણકારી પ્રભાવ ભરતો,કાર્યારંભ ના આરંભનું સ્તવન : ગીત સંભળાવતા, ક્ષેમ કુશળ પવિત્ર સંકેત આપે છે , જેની નોંધ લેતા પ્રભુ સમક્ષ સ્તુતિ કરે છે ; એમ કહીને કે કાળના અનુક્રમે , સમયે “જૂનું” ના લેખા લીધાં છે , અને “નવું” ની ‘જોખણી’ તોળાઈ રહી છે : તેમાં તાણી જતાં / તણાતા જતાં પામર / મનુષ્યને જોઈને વહી જતો સમય , સ્તુતિપાઠક ને “હસતો” જણાય છે. સમયધર્મી સવિતા / સૂર્ય ની નભગમી જણાતી દેખાતી સ્થિતિ અનુસાર , મનુષ્યને સૂર્યોદય થી સૂર્યાસ્ત અને વચ્ચેની , ( વહેલી અને મોડી ) સવાર , બપોર , સાંજ , વિગેરે ઉપસ્થિતિમાંસમયસમજી શકે તેની સૂર્ય એ જ તો મનુષ્યને શીખ આપી. સર્વદેવોમાંએકમાત્ર , સૂર્યદેવ ને , સૂર્યદાદા કહીને બોલાવતા હાજરાહજૂર ( પ્રત્યક્ષ રૂપે હાજર રહી તરત ફળ આપનાર ) માન્યો , જે ધરતી પર વિવિધ પાસાઓને આવરી લઈ જીવન -સિંચન કરે છે. આ સ્થિતિમાં , સમજદાર સ્તુતિપાઠક કશાય હેતુ વિના સહજપણે પ્રભુ સમક્ષ ભાવનાત્મક રૂપથી સંવાદ શરૂ કરે છે. : : : :
પ્રભુ સમક્ષ કહે છે કે, “રમણીય નવાઙકન સામ્ય સ્મરું”: અહીં “સામ્ય” શબ્દમાં, વેદાંતના સિદ્ધાંત અનુસારના એકાત્મતા, એકરૂપતા અને તાદાત્મ્ય સાધી આપતા વચનો ના ‘સ્મરણાંકન’ વિશેની,મર્માળી મનોહર નવાઙકન ની વાતચીત કરી છે ; જેના વિશેની ‘છાપ નિશાની’ અંકિત કરતી આધ્યાત્મિક કે ધાર્મિક ક્રિયા : “અંકન” ની સાધના થઈ હોવી જોઈએ ; તેથી જ તો , “નવું વર્ષ સ્નેહ વધારનાર : “સુવર્ધક” નિવડે એવી ખેવના રાખી છે , અને પ્રભુ સમક્ષ વ્યક્ત કરીછે. : સાથે સાથે , પ્રભુ સમક્ષ ‘પ્રાર્થના મુદ્રા’ને હ્રદય સન્મુખ રાખીને વિદિત કરે છે કે, ” નવ વર્ષ પ્રભુ અવિકારી ચહું” : એટલે કે, રાગદ્વેષાદિથી માનસિક વિકાર / મનની ખરાબી ના થાય એવી ખેવના રાખી છે. : : : :
પ્રભુ સમક્ષ કહે છે કે, ગત વર્ષ ને યાદ કરી ને એ કૃતજ્ઞ બન્યો છે. કેમકે , ગત વર્ષ ઉપકાર કરનારું વર્ષ નીવડ્યું હતું , જેના માટે આભારી હોય એ હવે આ નવા વર્ષ દરમિયાન પણ એવો જ “ઉપકારી” બનશે.: : ગાન શક્તિ નથી , સ્તુતિ કરનાર ભાવના છે જેના શબ્દોને વ્યક્ત કરવાની જરૂર છે, પરંતુ તેને સ્વર અંકન આપીને ગાવાનું જોર રહ્યું નથી. માટે , હે વિભુ : એટલે કે,સર્વ વ્યાપક ઈશ્વરાત્મા , સમર્થેશ્વર: સમર્થ પ્રભુ , મારી અંતર્દૃષ્ટિ નો વિકાસ કરી આપજો : જેથી જાતના ગુણ દોષ તરફ કરાતી નજર મળતાની સાથે , આત્મ પરિક્ષણ ની અંદરુની તપાસ ને જોડીશકું. : અસમર્થતા , અક્ષમતા અને અશક્તિ ને લીધે યોગ્યતા અને લાયકાત માન્યતાપ્રાપ્ત નથી. માટે , સહનશક્તિ ( endurance and patience ) અને શક્તિમત્તા( competency ) ના બળ આપશો તો હે “કરુણાનિધિ” : કરુણા ના સ્થાનરૂપ સાગર : ‘દયાવૃત્તિથી પુર્ણ’ : સાંખવા ખમવા નું : સહેવા નું બળ આપજો : જીવરૂપ સૂધ , નવી શક્તિ : નવચેતન : જીવનમાં ભરજો. : : : :
પ્રભુ સમક્ષ કહે છે કે, “પ્રભુના સ્નેહનું નિત્ય વહેતું” , સંચરતું “અમીઝરણું” ( invigorating revitalizingsweetnectarof God’s mercy ) : પ્રભુનું છલકાતું, પ્રાણવાન કરુણામયઝરણ ‘અપાર’ અવિનાશી , નિત્ય “વહતું વણમાગ્યું , અનંત ઘણું” સંચરતું નીરખી રહું છું : “અધિકાર વધાર વિલોકી રહું”: એટલે કે, પાત્રતા વધવાની સ્થિતિમાં નીરખી રહેવુંપડે છે , જે પ્રભુ વધારી આપે તો પ્રભુના સ્નેહ નુંમધુરામૃત મળે. : : વેરી/પ્રતિપક્ષી, અંદરુની હોય કે બાહરી : આંતરબાહ્ય: શત્રુઓને એકસમાન ગણી : અભિન્ન ગણી : લડું , એટલે કે વેરીઓ ને પરાસ્ત કરું. ( સ્તુતિ ગાયન માં ‘લહું’ શબ્દ સંભળાય છે , જેનો અર્થ લહવું પરથી મેળવવું / પામવું થાય : મેં “લડું” પરનો કાવ્યાર્થ લીધો છે. ) : : : :
સ્તુતિપાઠક પોતાને “પામર”: તુચ્છ , હીન , રાંક થઈને પ્રસ્તુત કરવામાં , એક પ્રકારની યાચના કરનાર પ્રભુ ભક્ત ની વિનમ્રતાપૂર્વક ની ભાવનાદાખવે છે, માટે પ્રભુ સમક્ષ કહે છે કે, “શું હું માંગી શકું પ્રભુ પામર છું, ઉચરું પ્રભુ આ અધૂરું મધુરું”; : આયખું તો “અધૂરું” હોય , જેના વિશેનું ‘સંભાષણ’ “અધૂરું” જ લાગવાનું ;પણ હા, “મધુરું” કહેવામાં અવશ્યંભાવિતાસાચવવી ખચીત જરુરી છે. : : “સવિતા નવ વર્ષ તણો ઊગતો, પ્રભુ મંગલ પુણ્ય પ્રભા ભરતો”: : : :
૦૧ , જાન્યુઆરી , ખ્રીસ્તી નૂતન વર્ષ ૨૦૨૩ થી શરૂ થયેલ નવા વર્ષ નિમિત્તે મુબારક હો : : : :
નર્મદ,કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. : ઉપનામ , ” પ્રેમ શૌર્ય” , ૨૭ વર્ષની ઉંમરે. તૈલચિત્ર આધારિત કાષ્ઠછબી : : : : – ‘તાપી દક્ષિણ તટ, સૂરત મુજ ઘાયલ ભૂમિ; મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.’ : : ગુજરાતી સાહિત્ય ના અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. : નર્મદના ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ (૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત ૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. ‘નેપોલિયનનું ચરિત્રકીર્તન’, ‘સિકંદર’ ‘પ્લેટો ‘જેવા નિબંધોમાં વ્યક્તિ-વિશેષોની જીવનરેખા અંકિત કરવાનું કામ કર્યું છે. : કવિચરિત્રોમાં એની કલમ સદ્યસ્પર્શી બની છે. પ્રેમાનંદ, દયારામ, નરસિંહ જેવા પૂર્વસૂરિઓ વિશે નર્મદે ઉષ્માપૂર્વક લખ્યું છે. : : મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), ‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- એમના સંશોધન-સંપાદનગ્રંથો છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે. : : ‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ (૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) એમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. : : નર્મકવિતા: ૧-૩ (૧૮૫૮), નર્મકવિતા: ૪-૮ (૧૮૫૯) ને નર્મકવિતા: ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય નર્મકવિતા – પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત નર્મકવિતા – પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે નર્મકવિતા (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાદાર છે, આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, સંસારસુધારાના સીધા ઉદગારો અને ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી રચનાઓ /ગીતોથી સજ્જ છે. : :નર્મદે અંગ્રેજી પદ્ધતિના નિબંધો લખવાનો પ્રારંભ કર્યો. આ નિબંધોમાં નર્મદે પોતાના સમયના અનેક પ્રશ્નોને આલેખી પ્રજા સમક્ષ મૂક્યા છે. સુખ, સંપ, કામ, પુનર્વિવાહ, સ્વદેશાભિમાન, બ્રહ્મતૃષા, ધર્મની અગત્ય, ગુજરાતી ભાષા, સૂરતની ચડતીપડતી, રણમાં પાછાં પગલાં ન કરવા વિશે જેવા વિવિધ નિબંધો લખ્યા હતા. : : મુંબઈ થી સૂરત આવીને 1851–52માં ‘સ્વદેશહિતેચ્છુ’ નામક સંસ્થાના ઉપક્રમે ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક શરૂ કરેલું, પણ એ ઝાઝું ન ચાલતાં 1864માં ‘ડાંડિયો’ પાક્ષિક શરૂ કર્યું. ‘‘ગાંઠનો ખરચ કરવો પડશે તેમ છતાં ‘સ્પેક્ટેટર’ જેવું લખાણ કહાડવું તો ખરું’’ એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકસાન વેઠીને પણ એણે પત્રકાર તરીકે પાંચ વર્ષ ‘ડાંડિયો’ ચલાવ્યું . : નર્મદની નિર્ભીકતા, નિખાલસતા, આખાબોલાપણું કે સ્પષ્ટભાષિતા તેના ગદ્યલેખનમાં દૃષ્ટિગોચર થાય છે. તેથી તેનું ગદ્ય આસ્વાદ્ય બને છે. તેનું ગદ્ય તેની જીવનાનુભૂતિનો પ્રસ્ફુરિત અને સહજ આવિષ્કાર છે. નર્મદે કવિતા અને ગદ્યક્ષેત્રે અનેક નવપ્રસ્થાન કર્યાં છે અને પછીથી આવનાર સાહિત્યકારોએ નર્મદે પાડેલી કેડીને જ રાજમાર્ગ બનાવ્યો છે. : : – ‘ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું’ (ના હઠવું) – “મૈત્રી મારે કુદરત તણી, લેણાદેણી મારે ઘણી; કુદરત મારી છે માશૂક, એથી પૂરું પામું સુખ, બહું ગભરાઉં દુનિયા થકી, એકાંતે જઈ બેસું નકી કુદરત કેરો કરું વિચાર, વિસરી જાઉં દુઃખને યાર”:: નર્મદ પોતાના સુખની વ્યાખ્યા ‘સુખિયો નર્મદ પૂરો અહીં’ કાવ્યમાં આપતા કહે છે,- “સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી; જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે. કુદરત વાડી સારી ધણી, તન ગાડી બે ઘોડાતણી; કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ. કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત; કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.” “જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં..” નર્મદ
નર્મદ એટલેસુધારકયુગનો અગ્રણી સાહિત્યકાર : ‘સમયમૂર્તિ’ નવ પ્રસ્થાનો નો ‘પ્રાણવંતો પૂર્વજ’ , વૈચારિક આંદોલન પ્રગટાવનાર : ગુજરાતી સાહિત્યના બાહ્ય કલેવરને/અંત:તત્વને ધરમૂળથી પલટી નાખનાર એક ‘યુગંધર’, ‘યુગપ્રવર્તક’ અને ‘યુગદ્રષ્ટા’ . ૧૫૦ વર્ષ પહેલાનો નર્મદ , ‘સુધારા નો સેનાની’ એકલપંડે ગુજરાતી ભાષાના બધા પહેલા કામ : પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણઆપી શક્યો.: : અહીં પ્રસ્તુત “અવસાન સંદેશ” , કાવ્ય ગીત માં નર્મદે ખુદના મૃત્યુ પછી “જય જય ગરવી ગુજરાત” ના સૌ લોક ( પ્રીતમ લાલ રસિકડાં ! ) નર્મદ ને કેવી રીતે યાદ કરશે તેની “દમદાર લેખચિત્ર” આલેખતી ઉપદેશાવલિ ગાઈ સંભળાવી છે. જેમાં આત્મલક્ષી કરુણ ઉદગાર સંભળાવતાં ઉલ્લેખ જોવા મળે પણ ખરાં. પરંતુ સાથે પીડા થતી , ચીડ ખમતી , કાવ્યબાની નું લાધ્યું સત્ય પણ સમજાય છે. : નર્મદે આવાં જ્ઞાન વૈરાગ્ય ને લગતા નીતિ ઉપદેશ ના બસોએક પદ લખેલાં જેની કાવ્યબાની થોડી ઘાટ ઘૂંટ વિનાની અને દીર્ઘદ્રષ્ટિ વગરની -અહીં તહીં વિખરાયેલી લાગે, તેમાંનું જ આ એક પદ કાવ્ય ગીત છે. નર્મદને જીવનમાં કડવા સ્વાનુભવો સ્વજનો- મિત્રમંડળ પાસેથી થયા હતા.. એ સાથીઓ જ અંત સમયે દગો કરે એવા બનાવો કવિના જીવનમાં બન્યા હતા. માટે દુનિયાદારી પર વિશ્વાસ રહ્યો નોહતો. આ સંવેદનામાંથી ‘દુનિયાં જૂઠાંની જૂઠાંની’, ‘નર્મદ આખરે ધૂળેધૂળ’ : ( “નર્મદ આખરે ધૂળેધૂળ, શાને થાયે આકળો? સાચૂં નિત્યનૂં અહિંયા ન કાંઈ, અંતે સંઘે છે સળો”), ‘શો જુલમ આવડો’ ( “શો જુલમ આવડો, થાય છે મુજપર, સત્યથી ચાલતાં રોજ રોજ; નીતિનો ટેક હૂં, રાખી રોજે રહૂં, તોય વેઠૂં બહૂ દુઃખબોજ”) , ‘નવ કરશો કોઈ શોક’ જેવા કાવ્યો રચાયા છે. નર્મદે સાચા મિત્રો માટે સંદેશ કાવ્ય ‘નવ કરશો કોઈ શોક’ રચ્યું સમજાય છે.-: જો કે નર્મદ જેવો મર્દ રડે નહીં. એણે લખ્યું હતું. : : – “મર્દ તેહનું નામ, રડે નહિ ઘાવ લીધાથી, પડ્યો પડ્યો પણ કહે, કાઢ શત્રુને અહીંથી”. વળી ‘દેશદાઝ’ ની કાવ્ય પંક્તિ માં , ” દેખી દારુણ દેશી નાં દુઃખ, ‘નર્મદ’ દિલ દાઝે છે. પેખી પરદેશીનાં ઊંચ સૂખ, નર્મદ દીલ દાઝે છે.” આ નર્મદ છે, એના સમય નો ધીર વીર “ટેકીલો” ‘કબીરવડ ‘: ” નદી વચ્ચે ઊભો, નિરભયપણે એક સરખો” : : : : ત્રણ દાયકાના કાવ્યલેખન દરમિયાન નર્મદ વાસ્તવમાં માત્ર અગિયાર વર્ષ જેટલો સમય ( મુખ્યત્વે ૧૮૫૫ થી ૧૮૬૭ દરમિયાન ) કવિતાને આપી શક્યો છે. અલબત્ત નર્મદે કાવ્યાભિવ્યક્તિ નો રસકો અને શબ્દાર્થ સાથે શોધાતી ચમત્કૃતિનો રણકો ધરાવતી ભાષા સિદ્ધ કરવા ખાસ પ્રયત્નો કર્યા નહીં . એણે સંસ્કૃત ભાષા સાહિત્ય નો અભ્યાસ- મર્મ અપનાવ્યો નહીં. એણે અંગ્રેજી ભાષા સાહિત્ય નો અભ્યાસ કર્યો હતો .( એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં ) : : નર્મદે પ્રિન્સ આલ્બર્ટ ના અવસાન પર ક્વીન વિક્ટોરિયા ને સંબોધીને લખ્યું હતું, ” ઓ રાણી દુઃખ તો ઘણું પણ શૂ કરીએ બાઈ ? ઈશ્વર ઈચ્છા એવી ત્યહાં રહેવું ધીરજ સ્હાઈ .” : : આવી જ રીતે એણે પોતાના ” અવસાન સંદેશ” આપવામાં પણ એની વાંકાંઈ રહેવા દીધી જણાય છે. : ” પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં… મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી.” : નર્મદના કાવ્ય – કવન પ્રત્યે રુચિ રાખનાર ‘રસિક જન’ જે પ્રભુ કૃપાથીજીવતા રહ્યાં હોય એ “પ્રેમી અંશ” હોય બહું “રુદન” કરશે; પરંતુ પેલાં કિન્નાખોરી સેવનારા “શેઠ” તો “મનથી હરખાશે” અને “બકવાસ” / એલફેલ બોલશે નર્મદ પર અને નર્મદ ના જીવન – કવન પર કારણકે કોઈ વાતે મર્મ સમજ્યાં વિના ‘દાઢમા થી વાંકું બોલવાં’ નું “પણ”પ્રતિજ્ઞા લીધેલી ને ! આવાં શઠ – બોલ્યાં કટાક્ષો સાંભળી ને “ચીડ” ચઢશે. જીવ બળશેજે મરણથી પહોંચી પીડા ની અગન ને વધારશે . માટે રસિકડાં , એવી બળતરા ( ચિંતા ) કરવી નહિ. નર્મદ ને મન મૃત્યુ દુઃખદાયક હતું જ નહીં. “રણથી છૂટ્યો” : મૃત્યુ થતાં, સંસારી જીવન – સંગ્રામમાં થનારાં ‘ગભરામણ’ના “દુઃખો” થી નર્મદ તો “છૂટ્યો”: “હતો દુઃખિયો , થયો સુખિયો”. : “મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતમથી.” રસિકડાં : મારો વારો હતો તે મરણ મળ્યું , એમ “તમારો પણ વારો આવશે જેથી તમે પણ આ “જગતમથી”, એટલે કે જગતનાં અંધારાં થી/ સંસારની ગભરામણો થી “મુક્ત થશો”. : :
” યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.” એ પંક્તિ માં ગુજરાતી ભાષા અને અરાજકતાને કારણે દુઃખી પ્રજા પરત્વે નર્મદ ની ધગશ, આસ્થા અને અસ્મિતાના સમય-કાર્યસબબ પ્રતિબદ્ધતા જોગ આવનારા વર્ષોમાં સૌ લોકો માટે યાદગાર બની જાય એવી લાગણી સભર અપેક્ષા રાખી છે . નર્મદે રામાયણ મહાભારત ગીતા ના સાર દર્શન ,શાકુંતલ , ઇલિયડ, રામ જાનકી, સીતાહરણ, દ્રૌપદી દર્શન, ઐતિહાસિક અને બીજા મહાનુભાવો, દેશ પ્રદેશ , પરદેશ , પ્રાચીન અર્વાચીન ઈતિહાસ, રાજ્ય રંગ, ભક્ત કવિઓ, ભાષા વૈવિધ્ય , નાટ્ય શાસ્ત્ર, વિષય વિશેષ ના ખ્યાલ ગુજરાતી સાહિત્ય અને સમાજ માં વહેતાં કર્યા. કવિતા ને આત્મલક્ષી બનાવી શકાય તે સિદ્ધ કર્યું.સામાજિક સુધારણા પ્રચલિત કરી. દીન દુઃખિયા ને ભોજન વસ્ત્રો પહોંચાડ્યા. શિક્ષણ ની જરુરીયાત સમજાવી. માટે એ ” યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી.” કહેવા નો હક્કદાર છે અને ગુજરાત પ્રદેશ અને આવનારી પેઢી દર પેઢી તેના ઓશિંગણ રહેવાનાં છે.
“ઘટના કે ચીજવસ્તુ ( substance ) હાવી થઈ ને મનમાં છાપ પડે તેનાથી આપો આપ અથવા ઇચ્છાએ “તર્ક” ( છાપ : impressions ) અને “જોસ્સા” ( Passion ) ઝપ દકીને જાગી ઉઠી કામે વળગે છે પછી સાત્ત્વિક ભાવે સામાના સુખદુઃખ આપણને અસર કરે છે જેનાથી અવાજ, અથવા “શબ્દનું નીમસર ( regular : ધારાધોરણ મુજબ ) નીકળવું” થાય છે તે “છાપ”નું નામ તે નર્મદ ને મન કવિતા : : ‘ સીતાપત્ર’ પદમાં નર્મદ લખે છે , ” કંટક દેશ ને કંટક રાજા , તેથી દુખી રામદારા” : સુખ અને દુઃખ નાં અનુભવ થી નીપજતાં સત્ય થી થતી મુંઝવણ નર્મદ ની કવિતા માં વારેવારે આવે છે. જીવનમાં આશય પૂર્વક અપનાવેલ કાવ્ય લેખન ના સમાપ્તિ ચિહ્ન ના ઉદગાર જુઓ, ” તેનું તે શું રડૂતેનું તે શું બકૂ , તેનું તે શું લવૂ રોજ તેવું ; દુઃખ છે દુઃખ છે દુઃખ , સંસારમાં સૂખ તો દિવસના સ્વપ્ન જેવૂ . વણ વસૂ આ સમે મુંઝવાઉં ઘણો શૂ કરું ના સૂઝે રોજ રોઉં , સારું થઈ જાઉં જો શઠ દિવા નો હવા કે છૂટૂ મોતથી એ જ ચ્હાવૂ.” ( નર્મ કવિતા , પૃષ્ઠ૮૫૫ ) : ૧૮૬૫ / ૬૭ ના સમયમાં નર્મદે ખાસ કોઈ કવિતા રચી ન હતી અને તે અરસામાં એણે મુંબઈ છોડીને સૂરત આવતા રહેવું પડેલ. સન ૧૮૮૩ માં નર્મદ લખે છે , ” અરે ખાપર્ડે , મને એ કવિતાઓ બિલકુલ ગમતી નથી – તું બિલકુલ એનું મારી પાસે નામ લઈશ નહીં.” ( નર્મદ શતાબ્દી ગ્રંથ, પૃષ્ઠ ૨૩૭ ) : છેવટે આઠ વર્ષ ની માંદગી ના અંતે ૧૮૮૬ માં નર્મદ નું ૫૨ વર્ષ ની ઉંમરે મૃત્યુ થયું. : : અહીં પ્રસ્તુત ગીતમાં પણ ખાસ લખ્યું છે, ” એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં… હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં”
“મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…” પ્રભુ-કૃપાથી ” પ્રેમી”જનને ‘મૃત્યુ જરા “મોડેથી”આવશે. : : ‘સુખિયો નર્મદ પૂરો અહીં’ કાવ્યમાં નર્મદ કહે છે,- “સુખિયો નર્મદ પૂરો અહીં, ઉદ્યમ ઘટતો કરતો સહી; જરૂરનો પૈસો તે રળે, સંતોષે દહાડા નિર્ગમે. કુદરત વાડી સારી ધણી, તન ગાડી બે ઘોડાતણી; કવિતા લાડી નર્મદ રાજ, ખરી મોજ કરતો તે આજ. કોઈ હોયે હાલે મસ્ત, કોઈ હોયે માલે મસ્ત; કોઈ હોયે ઇશ્કે મસ્ત, સુખિયો નર્મદ ખ્યાલે મસ્ત.”
આ “અવસાન સંદેશ” નું ગીત પણ નર્મદ ની કવિતા પ્રવૃત્તિ ના છેવટના સમય માં લખાયું. એણે એના એક વિરહ કાવ્ય માં લખ્યું હતું , ” નર્મદ આખરે જૂદાઈ જ , કહાં તે અને તૂં અરે , સલામ રે દિલદાર , યારની કબૂલ કરજે.” : : “નવ કરશો કોઈ શોક ” નો સત્યાર્થ અંતમાં ઊભરાતો આવ્યો છે, : :
“વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં… જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…”
‘ હું હવે મરી જવાનો ‘ , મનની ગભરામણ માં જ્યારે નર્મદે જાણ્યું કે , ‘ એના ( કાવ્ય – કવન ના ) પ્યારાં ( “રસિકડાં ” ) મિત્રો અને સ્નેહીઓ ને બહું દુઃખ થશે .. ‘ તે વખતે ઈચ્છા કરીને મરણના ” અવસાન સંદેશ” ની ‘કવિતા જોડી’ હતી. : જિંદગી ના ઉતરાર્ધમાં નર્મદે માન્યું કે દ્રઢતા અને હિંમત દાખવીને દમદાર જીવન જીવી શકાય જો એમાં હરિ કૃપા ઉમેરાય. વળી , સત્કર્મ અને સર્જનાત્મક જીવન લેખે લાગે અને મનુષ્ય ને યાદગાર બનાવી શકે છે / સદાકાળ જીવંત રાખે./ અમરત્વ પ્રદાન કરે. જો પીડા મળે તો તેનો પણ સ્વીકાર કરવો જોઈએ. મરણ દરેકને માટે નક્કી છે. “જગતનીમ ” / જગતનો નિયમ અનુસરતાં જન્મ અને મરણ જરાં મોડેથી , “પ્રેમીજન “/ પ્રેમ ધરાવનાર ના જીવન સાથે સદાય “ખચિત “/મઢાયેલા રહે. મરણથી પ્રેમીજન છુટા પડે અને આમરણ / મૃત્યુ ની અંતિમ પળ સુધી અન્યોન્ય ની જુદાઈ નાં દુઃખ જાય નહીં ; એટલે કે જુદાઈ નું દુઃખ મરણ સાથે જ જશે. રુદનથી દુઃખ વધે. માટે જીવન પર્યંત આવ્યાં કરતી પીડા સ્વીકારી લેવી અને દુઃખમય જીવન અને મરણ નો હિંમત દાખવીને દ્રઢતાથી સામનો કરવો. મનુષ્યની યાદગાર જીવની નું આ “લેખચિત્ર” છે. “યથાશક્તિ રસપાન કરાવ્યું (મનથી) સેવા કીધી બનતી ” માટે આ કવિના અવસાન થવાથી કોઈ એ શોક કરવાનો નથી.૧૮૭૫ પછી સુધારા વિશેના વિચારોમાં પરિવર્તન આવતાં નર્મદે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. માંદગી ને લીધે અસ્વસ્થ અવસ્થામાં ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરી સ્વીકારી. “અવસાન સંદેશ” કાવ્ય ગીત ની અંતિમ પંક્તિ પણ નર્મદ ના ધાર્મિક વિચાર પરિવર્તન ની દ્યોતક છે : :
“મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં..” “નવ કરશો કોઈ શોક, રસિકડાં”. જ્યારે પણ આવે ત્યારે મૃત્યુ એના સમયે જ આવે એમ માની લેજો. માટે જીવન – કવન ને યાદ રાખીને જીવ બાળવા ને બદલે ” મને વિસારી રામ નામ નું સ્મરણ કરજો . રામનામ ની લગની રાખીને / પ્રભુ – સ્મરણ માં ધ્યાન પરોવી જીવી જજો તો સુખી થશો. : : “નવ કરશો કોઈ શોક, રસિકડાં ” : અવસાન સંદેશ : કવિ શ્રી નર્મદ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : ફેબ્રુઆરી ૨૫, ૨૦૨૫ : નર્મદ ની ૧૪૦ મી પૂણ્ય તિથિ પર સ્મરણાંજલિ : : : : : : : :
સૂરતના સંગ્રહાલયમાં નર્મદનું પૂતળું નર્મદાશંકર લાલશંકર દવે : નર્મદ,કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક અને સંશોધક હતા. : ઉપનામ , ” પ્રેમ શૌર્ય” : : લેખક, કવિ, નિબંધકાર, નાટ્યકાર, શબ્દકોષકાર, વક્તા, આત્મકથાલેખક : : નોંધનીય કાર્ય : નર્મકોશ, મારી હકીકત, Narmagadya, રામજાનકીદર્શનનર્મ કવિતા ભાગ ૧, ૨ અને ૩ : : નર્મદને કેન્દ્રમાં રાખી નવલરામે ‘કવિજીવન’, વિશ્વનાથ મ. ભટ્ટે ‘વીર નર્મદ’ અને ક. મા. મુનશીએ ‘અર્વાચીનોમાં આદ્ય’ જેવા ચરિત્ર તો દિનકર જોશી પાસેથી ‘એક ટુકડો આકાશનો’ નામે નવલકથા મળે છે. નર્મદની યાદમાં નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે.
**********************************************નવ કરશો કોઈ શોક, રસિકડાં : અવસાન સંદેશ નર્મદ : : સ્વર દ્રવિતા ચોકસી : : સ્વરાંકન અને સંગીત નિયોજન મેહુલ સુરતી : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://tahuko.com/?cat=32
જ્યારે આ આયખું ખૂટે : રામનારાયણ વિ પાઠક શેષ ના કાવ્યો પૃષ્ઠ ૧૩૦ – ૧૩૧
*********************************************સૂકી જુદાઈ ની ડાળ..તમે આવો તો બેક વાત કરીએ : અનિલ જોશી : :
અનિલ જોશી ( 28 July 1940 ગોંડલ, ગુજરાત — 26 February 2025 (ઉંમર 84) મુંબઈ, મહારાષ્ટ્ર, ) ભારત ગુજરાતી સાહિત્ય ના લેખક / નિબંધકાર અને કવિ : : એમ. એ ( ગુજરાતી અને સંસ્કૃત ) ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. નોંધપાત્ર સર્જન : કદાચ (૧૯૭૦),બરફના પંખી (૧૯૮૧),સ્ટેચ્યુ (૧૯૮૮)બોલપેન ,બારીને પડદા નું કફન, દિવસનું અંધારું છે, કાગડો ધોળા દિવસ નું અંધારું છે ( નિબંધ સંગ્રહ ) ‘ગાંસડી ઉપાડી શેઠની’ (આત્મકથા ) : સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૯૦) : ૨૦ મી સદીના ઉત્તરાર્ધ ના મહત્વ ના કવિ. આધુનિક સંચેતનાનાં ઊર્મિકાવ્યો આપનાર રમેશ પારેખ ની સાથે અનિલ જોશી નું નામ આવે. આધુનિકતાનો રણકાર વધારે સ્પષ્ટ , ભાવના સ્તરે અને અભિવ્યક્તિના બંને સ્તરે હતો, એ નગરનો કવિ હતો.: : ‘અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં ‘ : જિવનની ક્ષણિકતા ને ઝીણવટથી ઝીલી શકે છે અને તેની સમૃદ્ધ રજુઆત અદ્યતનબની રહેવાની છે. લોકહૈયે વસેલી ‘કન્યાવિદાય’, ‘સાંજ’, ‘બીક ના બતાવો’ સહિતનાં અનેક કાવ્યો લોકો શૅર કરે છે, જે તેમની કાવ્યબાનીની બળકટતાને દર્શાવે છે. : નિરંજન ભગત અને રાજેન્દ્ર શાહ , પ્રહ્લાદ પારેખ , ના પછી રમેશ પારેખ ની સાથે અનિલ જોશી એ ગુજરાતી ભાષા- કવિતાનું એટલું સૂક્ષ્મ અને સુંદર વિસ્તરણ કર્યું છે કે ગુજરાતી ભાષા જાણે આખી નવેસરથી સંસ્કરણ પામી. ન્હાનાલાલ, બોટાદકર અને મેઘાણી- પછી આવી સમૃદ્ધિ આ કવિઓએ જ મેળવી છે. જાણે કે એક નવો ચળકાટ મળ્યો. કટાઈ ગયેલી ગુજરાતી કવિતા પર એક કાનસ ફેરવવાનું અને ઝળહળતી કરવાનું કામ એ બંનેએ કર્યું. અવનવાં પ્રતીકો, કલ્પનો, જુદા જુદા લયહિલ્લોળ એ સર્વ દ્વારા ગુજરાતી ભાષાની જે શક્યતાઓ છે, ગુજરાતી ભાષા કેટલી મહાન એ સિદ્ધ કરી આપ્યું. : પહેલાંનાં ગીતો તમે જોશો તો ચાંદો અને પોયણી, સૂરજ અને કમળ, ઘાસનાં મેદાન, વાદળો, વર્ષા, વૃક્ષો, મેઘધનુષ્ય- આવાં બધાં ઉપર નિર્વાહ થતો હતો. અનિલ જોશીનાં ગીતો આધુનિક ગીતો છે. પરંપરાનાં કે રંગદર્શી ગીતો નથી. અનિલભાઈએ અગાઉનાં ઉપમા, રૂપક, અગાઉનાં જે કલ્પનો, પ્રતીકો હતાં એ બધાં છોડી દીધાં. : : ( સિતાંશુ યશચંદ્ર , ઉદયન ઠક્કરના BBC પરના વક્તવ્ય ના આધારે ) “કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહિ , મરવા દીયે તો કોઈ મરીએ “અનિલ જોશી.
” સૂકી જુદાઈ ની ડાળ” : અનિલ જોશી સ્વર સોલી કાપડિયા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : પુરુષોત્તમ ઉપાધ્યાય : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :