પ્રભુ દેજો : પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાં જી.. : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : : આસો વદ એકમ / પડવો : નવેમ્બર ૨, ૨૦૨૪ થી બેસતા ( વિક્રમ સવંત ૨૦૮૧ ના ) નવા વર્ષની શુભકામનાઓ. : : : :
“પ્રભુ દેજો”: પ્રાર્થના છે , ૨૮ જાન્યુઆરી, ૧૯૫૬ ના રોજ કવિ શ્રી સુન્દરમ્ ના પ્રભુ સાથે રચાયેલ સ્તુતિગાન ના સંવાદ નો ઠમકારડો જે, પછીથી સુન્દરમ્ ના ૧૯૯૧ માં પ્રકાશિત કાવ્ય સંગ્રહ , “મુદિતા” માં સામેલ થઈ. મુદિતા એટલે સમાધિ ને યોગ્ય સંસ્કાર ઉત્પન્ન કરનારું એક પરિકર્મ , યોગાનંદપ્રસન્નતા.
પ્રભુ પ્રાર્થના રૂપે યાચક કવિ એ આશારૂપ સ્તુતિ વચન થી માંગ કરી ને કહ્યું છે :
આ રાત્રી માં એટલે કે મારા હાલ ના આ જીવનમાં અંધારું છવાયેલું છે ; કહો તો અજ્ઞાન ભાવ થી ગ્રસ્ત છે. માટે હે પ્રભુ, સાચા ખ્યાલ ( તાત્વિક સમજણ )નાં દિશા નિર્દેશ સૂચવતા અંકાશી તારલાં દેજો જી. : મારી અંજવાળી રાતડી ને એટલે કે ચાંદની પ્રસરાવનારી “રાતડી ને ચાંદ, કે ઉજળાં દિનોને દેજો ભાણ જી “: રોશની ના ઝળહળાટ , જ્ઞાનના પ્રકાશ / બોધપાઠ. : કહ્યું છે , રાત – દિન ને દેજો તારલાં જી અને શશીભાણ જી.: :
મારી ફોરમ ને દેજો એનાં ફૂલડાં જી. મારા વગડા ને દેજો એનાં ઝાડ એટલે કે વગડાઉ ભૂખંડ એનાં વૃક્ષો થી પુરેપુરું ઢંકાયેલું નથી ; ખીલ્યાં ફૂલ ફૂલ ને અને પશુ – પંખી ને સાંકળતાં સંભાળતાં વગડા ને જીવંત રાખવા વૃક્ષો નાં ફેલાવ દેજો, કે “ધરતીને દેજો એના આભ જી.”: આસમાની ઘુમ્મટ જે સૂર્ય ચંદ્ર ગ્રહ તારાં નાં પ્રકાશિત અજવાળાં અને વર્ષાની ધારે જળ બક્ષે. ઊંચે જોયું કે અસીમ , અનંત , સર્વોપરી મહત્તા નો સંચાર અને નિયમન કરનાર શક્તિમત્તા ઉપસ્થિત થતી દીસે. : કહ્યું છે , ફોરમ ને દેજો ફૂલડાં , વગડા ને દેજો ઝાડ અને ધરતી ને એના આભ જી. : :
મારી ચણ ને દેજો એનાં ચણનાર જી એટલે એમ કે ચણવા માટે દાણવેર્યા છે તે વીણી વીણીને ચણનાર પંખીઓ હરહંમેશ આવ્યાં કરે એવી નેમ છે. મારા પાણીડાં ને દેજો એનાં તીર એટલે કે પહોંચી શકાય એવાં કિનારા વાળાં જળાશયો : નદી તળાવ સરોવર હરહંમેશ ભર્યા ભર્યા કે વહેતાં રાખજો જી. અને વળી, ” સમદર ( સમંદર ) ને દેજો એનાં લોઢ” એટલે કે ‘ભરતી’ ( અને ઓટ )જી. : કહ્યું છે , દાણાં ચણનાર પંખીઓ , કિનારા વાળાં જળાશયો અને સમુદ્રના ભરતી- ઓટ દેજો જી. : :
“મારા આંગણાં ને દેજો એનાં બાળુડાં જી” એટલે એમ કે ઘરના બારણે સામેની ખુલ્લી જગ્યામાં નાના ને મોટાં થતાં જતાં બાળકો ખુશી ખુશીથી ઝૂમી રહ્યાં હોય ને રોકટોક વગર દોડાદોડી કરતાં જોવા મળે. : ” મારા ગોંદરા ને દેજો રે તળાવ” એટલે કે મારાગામનીપાદરે જ્યાં ગાય ભેંસ બકરી ઊભાં રહેવાની ભાગોળે પાણી ભર્યું તળાવદેજો જ્યાં એ દૂધાળું પશુઓને પીવા સારું ને નહાવા ધોવા સારું હરહંમેશ જોઈએ એટલું જળ ઉપલબ્ધ રહે. અને વળી “ગાવડી ને દેજો એનાં દૂધ જી.” એવી યાચના કરતા કવિમનમાં વસી અનુકંપા વર્તાય છે. કહ્યું છે પ્રાંગણ માં બાળકો રમતા રહે , પાદરે ઢોર ને સારું જોઈએ એટલું જળ મળે, અને ગાય નો દૂધ સ્ત્રાવ નિરંતર મળતા રહે એવી વ્યવસ્થા દેજો જી. : :
“મારા મનડાં ને દેજો એનાં માનવી જી”અને ” દિલડા ને દેજો એનું દિલ.” કે ” આતમા ને દેજો એના રામજી.” એટલે કે આ પૃથ્વી પરે વસતાં માનવી માટેની સ્નેહ પ્રીતિ હરહંમેશ કવિના ચિત્ત મન હૈયે પાંગરતા રહે અને આત્માને એનો આતમરામ.
અમૂર્ત એટલે જે નિરાકાર છે કે અસ્પષ્ટ અને મોઘમ પણે માત્ર વિચારાધીન હોય એ સ્નેહ સ્વરૂપે નજરે પડે , પ્રત્યક્ષપણે સમજીએ તો વાસ્તવિક રીતે મૂર્તિમાન થતાં દીસે કે પરિચય ની અનુભૂતિ થાય એવાં આશારૂપ સ્તુતિ– વચન થી માંગણી કરતી અર્થ સભર પ્રભુ -પ્રાર્થના કવિએ યાચક બનીને હ્રદય પૂર્વક ગાઈ સંભળાવી છે.: :